કચ્છથી દ્વારકા દર્શનાર્થે જતા હતા ત્યારે સર્જાયો અકસ્માત : આંધ્રપ્રદેશના રહેવાસી વૃદ્ધ અને આધેડના ઘટના સ્થળે જ મૃત્યુ, ત્રણ ઇજા મોરબી : આમરણ-જામનગર હાઇવે ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં આમરણના ખારચીયા નજીક હોટલ પાસે ઉભેલી એસટી બસના ઠાઠામાં અર્ટિગા કાર ઘુસી જતા આંધ્રપ્રદેશના વતની બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા. જયારે અન્ય ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં મૃતક તથા ઇજાગ્રસ્તો કચ્છથી દ્વારકા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આંધ્રપ્રદેશથી કચ્છમાં ફરવા આવેલા પ્રવાસીઓ અર્ટિગા કારમાં ગત રાત્રીના સમયે કચ્છથી દ્વારકા દર્શને જતા હતા ત્યારે માળીયા -જામનગર હાઇવે ઉપર આમરણના ખારચીયા નજીક હાઇવે ઉપર હોટલ પાસે ઉભેલી એસટી બસના ઠાઠામાં કાર ધડાકાભેર ઘુસી જતા કારમાં બેઠેલા આંધ્રપ્રદેશના રહેવાસી કૌશયા રામોલુ રામપલ્લી ઉ.67 અને રામાનુજ ચારુલ જગન્નાથ ચારુલ ઉ.53 નામના આધેડનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે અન્ય ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.