ધોરણ 11-12 ફ્રેશ અને રિન્યુઅલ વિધાર્થીઓએ 16 જૂન સુધીમાં અરજી કરવાની રહેશેમોરબી : નિયામક, અનુસુચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તક મોરબી જિલ્લામાં આવેલ ડો.બી.આર. આંબેડકર સરકારી કુમાર છાત્રાલય શોભેશ્વર-રોડ મોરબીમાં અનુસુચિત જાતિના મેડિકલ, એન્જીનીરીંગ, ફાર્મસી ડિગ્રી, ડિપ્લોમાં, આર્ટસ અને કોમર્સના સ્નાતક, અનુસ્નાતક તેમજ ધોરણ 11-12ના તમામ પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની પુરતી તક આપવાના હેતુ માટે પ્રવેશ મેળવવા https://.esamajkalyan.gujarat.gov.in પર આગામી તારીખ 10/07/2025 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવા આવે છે. જે અન્વયે સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ 11 અને 12ના ફ્રેશ અને રિન્યુઅલ વિધાર્થીઓએ તા.16-06-2025 સુધી અરજી કરવાની રહેશે.સરકારી છાત્રાલયમાં “એ-ગ્રુપ”ના ફ્રેશ મેડિકલ/ઈજનેર અને તેને સંલગ્ન અન્ય અભ્યાસક્રમો માટે રિન્યુઅલ વિધાર્થીઓએ અરજી કરી શકાશે. જયારે ‘એ-ગ્રુપ’ ના ફ્રેશ વિધાર્થીઓ માટે વર્ષ:2025-26ની કોલેજ/સંસ્થાની પ્રવેશ પ્રકિયા શરૂ થાય ત્યારે અલગથી જાહેરાત આપવામાં આવે છે. સરકારી છાત્રાલયમાં ફ્રેશ અને રીન્યુયલ વિધાર્થીઓએ પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરવાની રહેશે તથા અરજી સાથે જરૂરી પ્રમાણપત્રો પણ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે. પ્રવેશની અરજી કરનાર ફ્રેશ અને રીન્યુયલ વિધાર્થીઓએ વાર્ષિક પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ. છાત્રાલયમાં પ્રવેશ માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. 6 લાખ રહેશે.છાત્રાલયમાં પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ પર દર્શાવેલ છે, જેનો સંપુર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. સરકારી છાત્રાલયમાં રહેવા, જમવા તથા લાઈટ- પાણીની વિગેરે સુવિધા વિના મુલ્યે આપવામાં આવ છે. અરજદાર દ્વારા કરવામાં આવેલ અરજીના આધારે પ્રવેશ આપવામાં આવે છે. મોરબીમાં શોભેશ્વર રોડ-મોરબી ખાતે ડો.બી.આર. આંબેડકર સરકારી કુમાર છાત્રાલય આવેલી છે. વધુમાં પ્રવેશ અંગે વધુ જાણકારી કે માર્ગદર્શન માટે જાતિ કલ્યાણની કચેરીના ફોન નં. 02822-242224 પર કચેરી સમય દરમિયાન સંપર્ક કરવા અનુ.જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામક એ.એમ.છાસિયાની યાદીમાં જણાવાયું છે.