મોરબી : આગામી તારીખ 1 જૂન ને રવિવારના રોજ ખાનપર ગામે લોક ભવાઈના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બજરંગ ભવાઈ મંડળ (કુંભારીયા)ના નાયક બાબુલાલભાઈ નાનુભાઈ વ્યાસના લાભાર્થે આ ભવાઈનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. તો સૌને આ ભવાઈનો કાર્યક્રમ નિહાળવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.