મોરબી : શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક ધામ મોટા મંદિર લીંબડીના મહંત મહામંડલેશ્વર 1008 લલિતકિશોરીજી મહારાજની પ્રેરણાથી તેમજ રામાનંદી ગ્લોબલ ફાઉન્ડેશનના સહયોગથી મોરબી-માળીયા રામાનંદી સાધુ સમાજના સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થોઓ માટે ફૂલસ્કેપ નોટબુકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.જેમાં જરૂરિયાતમંદ કુટુંબના વિદ્યાર્થીઓના વાલીઓએ છેલ્લા એક વર્ષની માર્કશીટ સાથે સવારે 9 થી 12:30 તેમજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન નીલમ સાઉન્ડ, ગેસ્ટ હાઉસ રોડ, મોરબી ખાતે તેમજ ફરશુરામભાઈ નિમાવત મો. નં. 9913670042 અને નયનભાઈ રામાવત મો. નં. 9059801008 પર સંપર્ક કરવાનો રહેશે. આ નોટબુક વિતરણ જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી કરવામાં આવશે.