30 મે થી વર્તમાન સમય કરતાં આ ટ્રેન ઓખા બે કલાક વહેલી પહોંચશેમોરબી : મુસાફરોની સુવિધા અને તેમની માંગને ધ્યાનમાં રાખીને, રેલવે વહીવટીતંત્રે ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ સમયનો ફેરફાર 30-5-2025થી આગામી સૂચના સુધી અમલમાં રેહશે. ટ્રેન 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ ભાવનગર ટર્મિનસથી ઓખા માટે રાત્રે 10:10 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 11 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન તેના વર્તમાન સમય કરતાં લગભગ 2 કલાક વહેલી ઓખા પહોંચશે. સુરેન્દ્રનગર-ઓખા સેક્શન વચ્ચે આ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ભાવનગર ટર્મિનસથી સુરેન્દ્રનગર સુધી આ ટ્રેન તેના વર્તમાન સમયપત્રક મુજબ ચાલશે.માર્ગમાં આ ટ્રેનનો આગમન/પ્રસ્થનનો સમય સુરેન્દ્રનગર (1:25/1:35), દિગસર (1:48/1:49), થાન (2:12/2:14), દલડી (2:28/2:29), વાંકાનેર (2:42/2:47), અમરસર (2:57/2:58), સિંધાવદર (3:07/3:08), કણકોટ (3:17/3:18), રાજકોટ (3:46/3:56), પડધરી (4:21/4:22), હડમતિયા (4:40/4:41), જાલીયા દેવાણી (4:49/4:50), જામવંથલી (5:10/5:12), અલિયાવાડા (5:23/5:24), હાપા (5:40/5:50), જામનગર (6:02/6:07), લાખાબાવળ (6:23/6:24), પીપલી (6:34/6:35), કાનાલુસ (6:44/6:46), મોડપુર (7:00/7:01), ખંભાળિયા (7:20/7:22), ભાતેલ (7:41/7:42), ભોપલકા (7:57/7:58), ભાટિયા (8:10/8:12), દ્વારકા (9.50/9.55), ભીમરાણા (10:23/10:24), મીઠાપુર (10:29/10:30) અને ઓખા (11 કલાક) રહેશે. આ ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે. જેથી મુસાફરોને મુશ્કેલી ન પડે.