મોરબી : મોરબીના લોકો સતત કંઈકને કંઈક સેવાકીય પ્રવૃત્તિઓ લોકોપયોગી પ્રવૃત્તિઓ કરતા હોય છે, અને માનવજીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે સ્વ.સંગીતાબેન દિવ્યકાંતભાઈ ભાટિયાની દિવ્ય સ્મૃતિમાં દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે મોરબીના સંસ્કાર ઇમેજિંગ હોલ સંસ્કાર બ્લડ બેંક ખાતે ભાટિયા-કુંડારિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં સગા, વ્હાલા, સંબંધીઓ અને મિત્રો તરફથી ખૂબ જ સારો સહકાર મળતા કુલ 86 બોટલ રક્ત એકત્ર કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કેમ્પનું આયોજન વ્યવસ્થાપન નવનિતભાઈ કુંડારિયાએ કર્યું હતું.