રાજકોટ : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટના ભક્તિનગર સ્ટેશન પર આવનારી 4 ટ્રેનોના સ્ટોપેજના સમયને 30.05.2025 થી લઈને આગામી સૂચના સુધી વધારવામાં આવ્યો છે. જેમાં ટ્રેન સંખ્યા 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ભક્તિનગર સ્ટેશન પર 07:37 વાગ્યે આવશે અને 07:39 વાગ્યે ઉપડશે. ટ્રેન સંખ્યા 19208 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ભક્તિનગર સ્ટેશન પર 16:25 વાગ્યે આવશે અને 16:27 વાગ્યે ઉપડશે. ટ્રેન સંખ્યા 59423 રાજકોટ-વેરાવળ લોકલ ભક્તિનગર સ્ટેશન પર 08:12 વાગ્યે આવશે અને 08:14 વાગ્યે ઉપડશે. ટ્રેન સંખ્યા 59421 રાજકોટ-વેરાવળ લોકલ ભક્તિનગર સ્ટેશન પર 18:32 વાગ્યે આવશે અને 18:34 વાગ્યે ઉપડશે.રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કોઈ પ્રકારની અસુવિધા ન થાય.