માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકાના નાની બરાર ગામે આગામી તારીખ 26 મે ને સોમવારના રોજ જયંતીલાલભાઈ વ્યાસના લાભાર્થે ભવાઈનો કાર્યક્રમ યોજાશે. જેમાં શ્રી સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ ખાખરાળાના કલાકારો પોતાની કલા રજૂ કરશે. નાયક હરીલાલ કાનજીભાઈ વ્યાસ તેમજ સંચાલક વિક્રમભાઈ વ્યાસ દ્વારા સમગ્ર સંચાલન કરવામાં આવશે. તો આ લોક ભવાઈનો કાર્યક્રમ નિહાળવા સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.