ટંકારા : ટંકારાના નસીતપર ગામ પાસે આવેલા ડેમી-2 ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો. જો કે સવારે 10 વાગ્યે હવે ત્રણ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. મહત્વનું છે કે, હેઠવાસના ચેકડેમોને ભરવા માટે ડેમી-2 ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. હેઠવાસના ચેકડેમોને ભરવા માટે ડેમમાંથી 3 દરવાજા એક ફૂટ ખોલીને 1758 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી ડેમના હેઠવાસમાં આવતા ટંકારા તાલુકાના- નસીતપર, નાના રામપર અને મોટા રામપર તથા મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, કોયલી ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.