મોરબી : મોરબીના રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી મા તેમજ મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીના સાનિધ્યમાં ઉમિયા માતાજીનો 21મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે યજ્ઞ, મહા આરતી, મહાપ્રસાદ તેમજ કાલીકાનગર ખાતે બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે ચુનીભાઈ કાવર, ત્રિભોવનભાઈ ભાલોડીયા, ઓડીયા સાહેબ, ઠાકરશીભાઈ પાંચોટિયા, ભુદરભાઈ દેત્રોજા, અશ્વિનભાઈ દેત્રોજા, નરશીભાઈ શેરસિયા, રમેશભાઈ શેરસિયા, જગદીશભાઈ ખાવડીયા, કેતનભાઈ બોપલીયા, જયંતિભાઈ શેરસિયા, કેશુભાઈ દલસાડીયા, દેવકણભાઈ મોરડીયા, મહાદેવભાઈ ચિખલીયા, દિલીપભાઈ, રાજુભાઈ વગેરે જોડાયા હતાં. આશ્રમના સેવક બહેનો ભાઈઓ જહેમત ઉઠાવી હતી તેમ મુકેશ ભગતની યાદી જણાવ્યું છે.