મોરબી : મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર દ્વારા સારથી વિદ્યાલય- મહેન્દ્રનગર ખાતે તાલુકા હેલ્થ ઓફિસના સૌજન્યથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના નિવૃત શિક્ષક અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પૂર્ણ કાલિન કાર્યકર્તા મહાદેવભાઈ રેવાભાઈ રંગપરિયાએ 62 વર્ષની ઉંમરે 57મી વખત રકતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી નાગરિક ધર્મ બજાવવા બદલ મહાદેવભાઈ રંગપરિયાને ચોમેરથી ધન્યવાદ પાઠવવામાં આવી રહ્યા છે. રક્તદાન કેમ્પને સફળ બનાવવા જયંતીભાઈ શેરસીયા, કેતનભાઈ બોપલિયા, કેશુભાઈ કલોલા, ખરેડા હેલ્થ સેન્ટરના ડો. સબાપરા સાથે વિદ્યાલયના પ્રિન્સિપાલ પ્રકાશભાઈ તથા મુકેશભાઈ ગામી વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી. જયંતીભાઈ શેરસીયા તરફથી તમામ રક્તદાતાઓને ગિફ્ટ અર્પણ કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધી અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ રક્તદાન કેમ્પમાં હાજરી આપી સૌને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડ્યા હતા.