મોરબી : મોરબીની વાંચનપ્રેમી જનતા માટે દર મહિનાના પેલા રવિવારે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે. જે દર વખતે સરદારબાગ ખાતે યોજવામાં આવતું પરંતુ સરદારબાગમાં રીનોવેશન કામ શરુ હોવાથી તારીખ 4 મે ના રોજ યોજાનાર પરબ સરદારબાગ સામે આવેલ ૐ શાંતિ સ્કૂલ ખાતે સવારે 9:00 થી 11:30 સુધી યોજવામાં આવશે. જેની નોંધ વાચકોને લેવાનું પુસ્તક પરબ ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સાથે જ લવની મૂંઝવણ તેમજ કાળની કેડીએથી પુસ્તકનો પરિચય પણ આપવામાં આવશે. અહીં 4000થી વધુ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનો ખજાનો વિનામૂલ્યે વાંચવા માટે ઉપલબ્ધ હશે.