આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા મહાપાલિકાને રજૂઆતમોરબી : મોરબી મહાનગરપાલિકા દરજ્જો આપ્યો પણ તેમાં સમવાયેલ મહેન્દ્રનગર વિસ્તાર પાયાની સુવિધાથી વંચિત છે. ત્યારે આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે.આ રજુઆતમાં જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકાના ઝોન -2માં આવેલ મહેન્દ્રનગર ગામમાં ખૂબ મોટી સોસાયટી જેવી કે પ્રભુકૃપા, ક્રાંતિજ્યોત, સોમનાથ પાર્ક, હરિગુણ, રોયલ પાર્ક અને મહેન્દ્રગર ગામતળમાં આશરે 15,000 થી 20,000 હજાર લોકો રહેશે છે. તો આ વિસ્તાર મોરબી મહાનગરપાલિકા માં તારીખ 1-1-2025થી સમાવેશ કરવા આવેલ છે. હવે મોરબી મહાનગરપાલિકા 1 જાન્યુઆરી 2025થી દરેક મકાન, શોપિંગ, પ્લોટ, કાર જેવી અસંખ્યા પ્રોપર્ટી પર વેરો વસુલ કરે છે. આજ દિવસ સુધી કોઈ પણ જાતની પાયાની સુવિધા મોરબી મહાનગરપાલિકા તરફ થી ચાલુ થયેલ નથી. આ વિસ્તાર સુવિધાથી વંચિત છે. જેમાં પાણી આપવું, રોડ રસ્તા સફાઈ કરવી, સોસાયટીમાં કોઈ મહાનગરપાલિકાનું વાહન, કચરો લેવા માટે ગાડી કે ટ્રેકટર, સર્કિટ હાઉસથી મહેન્દ્રનગર ચોકડી સુધીમાં સ્ટ્રીટ લાઈટ, મહેન્દ્રનગર ચોકડીથી માળિયા ફાટક સુધીમાં ખૂબ ટ્રાફિક વાળો વિસ્તાર છે તો આ રોડ પર cctv કેમેરા લાગવવા, ધીમી ગતિએ ચાલુ મહેન્દ્રનગર ઓવર બ્રીજનું કામ પણ એક ટ્રાફિક, આ ગામમાં આવેલ કાલિંધરી નદીમાં ખૂબ કચરો અને વેલ થઈ ગયેલ છે તો એની પણ સફાઈ કરવી, મહેન્દ્રનગર માં કોઈ બસ સ્ટેશનની સુવિધા, મહેન્દ્રનગર ચોકડીથી હળવદ ચાલુ રોડના કામમાં મહેન્દ્રનગર ચોકડીથી ITI કોલેજ સુધીની ડ્રેનેજ (ગટર) લાઈનમાં ખૂબ જ હલકી ગુણવત્તા વાળું કામ થઈ રહ્યું છે તો એ પણ રોડ હવે મોરબી મહાનગરપાલિકાની અંડરમાં આવશે અને ભવિષ્યમાં ખૂબ મોટી સમસ્યા બનશે. એના માટે તંત્ર દ્વારા તપાસના આદેશ આપવા વગેરે મુદ્દાને ધ્યાનમાં લઈ મોરબી કમિશનર અને મોરબી મહાનગરપાલિકા તંત્રને પંકજભાઈ આદ્રોજા દ્વારા રજૂઆત કરવામાં આવી છે.