મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 30 એપ્રિલના રોજ GETCO દ્વારા મેઇન્ટનન્સની કામગીરી કરવાની હોય કેટલાક વિસ્તારોમાં વીજ કાપ રહેશે. જેમાં 66 કેવી કાલીકાનગર સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ ફીડરો સવારે 6 થી બપોરે 12-30 વાગ્યા સુધી બંધ રહેશે. 66 કેવી શોભેશ્વર સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ ફીડર સવારે 6 થી બપોરે 12-30 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય ખેતીવાડી તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.