મામલતદારને ગ્રામજનોએ લેખિત રજૂઆત કરી, લાખો રૂપિયાની ખનીજ ચોરી થતી હોવાની રાવટંકારા : ટંકારા તાલુકાના સરાયા ગામે છેલ્લા 10 દિવસથી સરકારી ખરાબાની જમીનમાંથી લાખો રૂપિયાની ખનીજ ચોરી થઈ રહી હોવાની ફરિયાદ મામલતદાર સમક્ષ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે અને આ ખનીજ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે.સરાયા ગામના અરજદાર કનુભાઈ ગમારા, છગનભાઈ ગમારા, મનુભાઈ ગમારા, લાલજીભાઈ ગમારા, જયેશભાઈ ગમારા, વિપુલભાઈ ગમારા, કાર્તિકભાઈ ગમારા અને મેરાભાઈ ઝાપડાએ ટંકારા મામલતદારને લેખિતમાં જણાવ્યું છે કે, સરાયા ગામે 7 જેટલા શખ્સો દ્વારા 10 દિવસથી સરકારી ખરાબાની જમીનમાં હીટાચી અને બે જેસીબી તથા બે ડમ્પર અને ચાર ટ્રેક્ટર વગેરે સાધનોથી અંદાજે લાખો રૂપિયાની ખનીજ ચોરી કરી રહ્યા છે. તેઓને સમજાવવા છતાં ખનીજ ચોરી બંધ કરી નથી. તેથી આ ખનીજ માફિયાઓ સામે પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી ખનીજ ચોરી અટકાવવા અને આ ખનીજ માફિયાઓને કાયદાનું ફાન કરાવવા રજૂઆત કરવામાં આવી છે.