અખાત્રીજના પાવન દિવસે 8 યુગલો પ્રભુતામાં પગલાં પાડશેટંકારા : કડવા પાટીદાર સમાજ ટંકારા પ્રેરિત શ્રી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 13મો શાહી સમૂહ લગ્ન આગામી તારીખ 30 એપ્રિલ ને બુધવારે અખાત્રીજના શુભ દિવસે યોજાશે. જેમાં 8 યુગલો પ્રભુતામાં પગલાં માંડશે. સમૂહ લગ્નની તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.છેલ્લા 13 વર્ષથી શ્રી કડવા પાટીદાર સમાજ ટંકારા પ્રેરિત ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નમાં દર વર્ષે સતત કંઈક નવું અને અલગ અલગ આપવું એના નેમ સાથે સમાજના આગેવાનો ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ સમગ્ર ગ્રાઉન્ડને કોઈ વીઆઈપી કે કોઈ શાહી લગ્ન હોય એ રીતે ડેકોરેશન કરવાનું કામ મોરબીના શ્રી ગણેશ મંડપના નેજા નીચે કરવામાં આવે છે. અખાત્રીજના શુભ દિવસે આ સમૂહ લગ્ન યોજાતા હોય છે. આ વખતે આ સમૂહ લગ્નમાં કુલ 8 નવયુગોલોએ પ્રભુતામાં પગલાં માંડશે. સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ અરવિંદ બારૈયા, ઉપાધ્યક્ષ કચરાભાઈ ધોડાસરા, પ્રમુખ હીરાભાઈ, ઉપપ્રમુખ વલમજીભાઈ રાજપરા, દિપકભાઇ સુરાણી ખજાનચી કેશુભાઈ જીવાણી, મંત્રી રમેશકુમાર કૈલા, ગોરધનભાઈ ચિકાણી, ડાયાલાલ બારૈયા, વાત્સલ્ય મનિપરા સહિતના અનેક સદસ્યો, હોદ્દેદારો પોતિકા પ્રસંગ માફક તૈયારી હાથ ધરી છે. તેમજ ઉમિયા પરિવારના આમંત્રણને માન આપી રાજકીય અને શૈક્ષણિક આગેવાનો હાજરી આપશે. તેમજ આ નવ યુગલોને આશીર્વાદ આપવા નકલંકધામ બગથળાના મહંત દામજીભગત સહિતના સંતો-મહંતો ઉપસ્થિત રહેશે.શાહી સમૂહ લગ્નનો કાર્યક્રમ 30 એપ્રિલ ને બુધવારે સવારે 8:30 વાગ્યે કલ્યાણપર પાટિયા પાસે સ્થિત સમાજ વાડીમાં મંડપ મુહૂર્તથી શરૂ થશે. સાંજે પાંચ વાગ્યે જાન આગમન થશે. છ વાગ્યે સામૈયું, સાત વાગ્યે હસ્ત મેળાપ, ત્યારબાદ ભોજન સભારંભ અને 9-30 વાગ્યે કન્યા વિદાય થશે. કરીયાવરમાં 61 જેટલી જીવન ઉપયોગી વસ્તુ આપવામાં આવશે. 22 જેટલી અલગ અલગ કમિટી સતત સેવામાં ખડેપગે રહેશે. અગન ઓકતા આકાશમાં થોડી રાહત થાય માટે લિંબુ સરબત પાણી સહિતની વ્યવસ્થા કરી કમિટી દ્વારા સુંદર આયોજન કર્યું છે.