મોરબી : આજે તા.26-4-2025ના રોજ મોરબી ઘટક-2ના ભરતનગર સેજાના વાઘપર(પીલુડી)ગામે રોકડીયા હનુમાનજીના મંદિરે ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો.સેજલબેન કડીવાર દ્વારા ગર્ભ સંસ્કાર વિશે સગર્ભા બહેનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી ઘટક-2ના સીડીપીઓ ભાવનાબેન ચારોલા, મુખ્ય સેવિકા,વાઘપર સબ સેન્ટરના આરોગ્ય સ્ટાફ, સ્કુલના શિક્ષકો, આંગણવાડીના વર્કર બહેનો તથા હેલ્પર બહેનો, ગ્રામજનો ઉપસ્થિત અને સગર્ભા બહેનોને પોષણ અને આરોગ્ય બાબતે સુચનો આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં દાતા સરપંચ મનસુખભાઈ લોરિયા તેમજ મંત્રી ચેતનસિંહ જાડેજા દ્વારા સગર્ભા બહેનો માટે પૌષ્ટિક કીટ(ચોખા ઘીની સુખડી,ચીકુ અને શીંગ દાળીયા) વિતરણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનારા બાળકના ગુણોને પાયામાંથી શીખ અપાવી આપણા શાસ્ત્રોમાં 16 સંસ્કારની વાત કરવામાં આવી છે, તેમાનો એક સંસ્કાર એટલે “ગર્ભ સંસ્કાર” જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતી તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ. સી. ભટ્ટના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવ્યું છે.