મોરબી : મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે 25 એપ્રિલ ને શુક્રવારના રોજ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામા આવી હતી. જેમાં આ વર્ષની થીમ “Malaria Ends With Us : Reinvest, Reimagine, Reignite” અંતર્ગત વિવિધ પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. મેલેરીયાના લક્ષણો તથા મેલેરીયાને ફેલાતો અટકાવવા માટેના પગલા અંગે પત્રિકા વિતરણ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા મેલેરીયા અંગેના પોસ્ટરો તથા બેનર સાથે રેલીનું આયોજન કરવામા આવ્યું હતું અને મેલેરીયા નિયંત્રણ માટે જનજાગૃતિ કરવામા આવી હતી.