ટંકારા : આતંકી ઘટનાના વિરોધમાં ટંકારા તાલુકાના સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ પટેલ સમાજ અને વેપારી એસોસીએશન દ્વારા બપોર સુધીમાં બંધના એલાનને ખુલ્લુ સમર્થન આપવામાં આવ્યું હતું. વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા કાશ્મીર પહેલગામના હુમલામાં ભોગ બનેલા 26 હતભાગી દિવંગતોને મૌન રેલી યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત ટંકારાએ સજ્જડ બંધ પાળ્યો હતો અને હુમલાની કડી નિદા કરી હતી.