મોરબી : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓના હુમલામાં મૃત્યુ પામેલા આત્માઓની શાંતિ માટે મોરબીમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી.મોરબી શહેરમાં આવેલી સૈફી મસ્જિદ ખાતે આજે તારીખ 25 એપ્રિલના રોજ મોરબીના આમિલ સાહેબના નેતૃત્વમાં મૃતકો માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી. દુઆઓ સાથે મૃતક ભારતીય નાગરિકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તદુપરાંત મૃતકોના સન્માનમાં 2 મિનિટનું મૌન પાળ્યું હતું. દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મૃતકો પ્રત્યે દાઉદી વ્હોરા સમાજને સહાનુભૂતિ છે તેમજ આ મુશ્કેલ ઘડીમાં ઇશ્વર મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી દુઆઓ કરવામાં આવી હતી. આ અંગેનું આયોજન મોરબી અનજુમને સૈફી જમાઅત કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું