જીલરીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન મોરબી : મોરબી તાલુકાના કૃષ્ણનગર (કોયલી) ખાતે જીલરીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે પિતૃઓના મોક્ષાર્થે આજે તારીખ 13 એપ્રિલ અને રવિવારથી કથાનો પ્રારંભ થયો છે અને આ કથા 19 એપ્રિલ ને શનિવાર સુધી ચાલશે. જીવણભાઈ દેવાભાઈ જીલરીયા અને લાખાભાઈ દેવાભાઈ જીલરીયાના પરિવાર દ્વારા આયોજિત આ કથામાં શાસ્ત્રીજી આશિષભાઈ એલ. પંડ્યા અને શાસ્ત્રીજી યોગેશભાઈ એલ. પંડ્યા વ્યાસપીઠ પર બિરાજી દરરોજ બપોરે 3 થી 6 કલાક દરમિયાન કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાશે.