ફેફસાના રોગ, બાળ રોગ, હાડકાની સમસ્યા, દાંતના રોગ, ચામડીના રોગ, આંખના રોગ તેમજ તેમજ કાન-નાક-ગળાના રોગના નિષ્ણાંત તબીબો આપશે સેવામોરબી : મોરબીમાં આગામી રવિવારના રોજ ડો. પ્રશાંત મેરજાની પુણ્યતિથિ નિમિત્તે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફેફસાના રોગ, બાળ રોગ, હાડકાની સમસ્યા, દાંતના રોગ, ચામડીના રોગ, આંખના રોગ તેમજ તેમજ કાન-નાક-ગળાના રોગના નિષ્ણાંત તબીબો સેવા આપશે. ડો. પ્રશાંત મેરજાની 17મી પુણ્યતિથીએ તા.13ને રવિવારના રોજ સવારે 8:30 થી 12 વાગ્યા સુધી ક્રિષ્ના હોલ, કંડલા બાયપાસ રોડ, વાવડી ચોકડી, અતુલ ઓટોની બાજુમાં, મોરબી ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે. સવારે 9 વાગ્યે દીપ પ્રાગટય મહંત દામજીભગત- નકલંક મંદિર, બગથળાના હસ્તે થશે. કેમ્પમાં જનરલ ફિઝિશિયન તથા ફેફસાના રોગના નિષ્ણાંત ડો.ભાવિન ગામી, બાળ રોગના નિષ્ણાંત ડો.અક્ષય જાકાસણીયા, ઓર્થોપેડિક સર્જન ડો. યોગેશ પેથાપરા, દાંત રોગના નિષ્ણાંત ડો. કિશન બૉપલિયા, ચામડી રોગના નિષ્ણાંત ડો.કલ્પેશ રંગપરિયા, આંખના સર્જન ડો.નિસર્ગ પડસુંબીયા, કાન-નાક-ગળાના નિષ્ણાત ડો.પુલકિત પ્રકાશભાઈ સેવા આપવાના છે. આ કેમ્પને સફળ બનાવવા ડો. પ્રશાંત મેરજા ફાઉન્ડેશન, ડો.ભાવિન ગામી અને સન્ની મેરજા જહેમત ઉઠાવી રહ્યા છે.