મોરબી : બેલા (રં.) ગામે આગામી તારીખ 5 એપ્રિલ ને શનિવારના રોજ ભગાબાપાની મેલડી માતાજીના મંદિરે 33 જ્યોતનો ઠાકરનો પાટ તેમજ તાવાના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.ભગા બાપાની મેલડી માતાજીના મંદિરે 5 એપ્રિલના રોજ 33 જ્યોતનો રામાપીરનો પાટ પુરવા ભગવાન વડવાળા દેવની જગ્યા દુધઈ ધામના સંતો પધારશે. તેમજ મેલડી માતાજીના તાવાનું આયોજન પણ સાંજે કરવામાં આવ્યું છે. તો સૌ ભક્તોને પાટના દર્શન તેમજ પ્રસાદ લેવા આમંત્રણ પાઠવાયું છે.