મોરબી : ઔદિચ્ય વિદ્યોતેજક મંડળની જનરલ બોર્ડ મિટિંગનું આયોજન આગામી તારીખ 29 માર્ચના રોજ સાંજે 5 વાગ્યે મોરબીના દવે પંચોલી વિદ્યાર્થી ભુવન 12-શક્તિ પ્લોટ, શનાળા રોડ, મોરબી કાર્યાલય ખાતે કરવામાં આવ્યું છે. મંડળના તમામ આજીવન સભ્યો માટે આ મિટિંગ મહત્વપૂર્ણ છે.મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળ દ્વારા દર વર્ષે યોજાતી જનરલ બોર્ડ મિટિંગ આ વર્ષે તા.૨૯ માર્ચ ૨૦૨૫ના રોજ રાખવામાં આવી છે. મંડળના તમામ આજીવન સભ્યો જે નોંધાયેલ છે તેઓ માટે આ મિટિંગમાં હાજરી અનિવાર્ય ગણાવવામાં આવી છે. જનરલ બોર્ડની મિટિંગના મુખ્ય એજન્ડામાં મંડળના મહત્વપૂર્ણ નિર્ણયો, નવા ટ્રસ્ટી મંડળ અને હોદ્દેદારોની વરણી તેમજ વર્ષ દરમિયાન થયેલા કામકાજ અને ભવિષ્યની યોજનાઓ અંગે વહીવટી અને આર્થિક બાબતોની ચર્ચા માટે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના 12-શક્તિ પ્લોટ શનાળા રોડ સ્થિત દવે પંચોલી વિદ્યાર્થી ભુવન મંડળના કાર્યાલય ખાતે આ મિટિંગ યોજાશે. મંડળના તમામ આજીવન સભ્યોને આ મિટિંગમાં હાજરી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.