મોરબી : મોરબીમાં શ્રી આદિ ગૃપ દ્વારા 14-3-2025ને શુક્રવારના રોજ શ્રી સ્મશાન મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 14 માર્ચના સવારે 9:15 કલાકે થાંભલી રોપણ, રાત્રે 9 કલાકે ડાકની રમઝટ તથા તા. 15-3-2025ને શનિવારના રોજ સવારે શુભ ચોઘડિયે થાંભલી વધામણાં કરવામાં આવશે. આ માંડવામાં રાવળદેવ મગનભાઈ કુંઢિયા દ્વારા ડાકની રમઝટ બોલાવવામાં આવશે. આ માંડવાનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.