મોરબી : તા.5ને બુધવારના રોજ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત સરસ્વતી શિશુમંદિર-શનાળા ખાતે ભારતમાતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પંચમ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમ પાટોત્સવ નિમિત્તે જીવનવિકાસ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી સહિતના મહાનુભાવો જોડાયા હતા.પાટોત્સવ પ્રસંગે જીવન વિકાસ ગોષ્ઠીના મુખ્ય વક્તા મહેશભાઈ પતંગે તેમના વક્તવ્યમાં જીવન વિકાસ માટેના પંચપ્રાણની વાત કરી હતી. 1. કુટુંબ પ્રમોદન 2. સામાજિક સમરસ્તા 3. સ્વનુજાગરણ 4. પર્યાવરણ 5. નાગરિક કર્તવ્ય અને તેને ભારતને પોતાના જન્મકાળથી જ જ્ઞાનમાં રસ છે તેથી જ તેનું નામ ભારત પડ્યું છે. જ્યારે તમે સામાન્ય માણસ સાથે રહો ત્યારે અસામાન્ય ન બનો રાષ્ટ્રીય સ્તર એ વ્યક્તિ ઘડતરની સમસ્યા અને સંઘની ઘણી બધી વાત કરી હતી.સરસ્વતી શિશુમંદિર-શનાળા ખાતે ભારતમાતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પંચમ પાટોત્સવનું આયોજનમાં યજ્ઞના યજમાન પરેશભાઈ મોરડીયા અને તેમના પરિવારના સભ્યો રહ્યા હતા. આ તકે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રીમહેશભાઈ પતંગે, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી જિલ્લાના કલેક્ટર કે. બી. ઝવેરી, ઈટાકા સિરામિકના ડાયરેક્ટર હિતેશભાઈ પટેલ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરી પણ વિદ્યાલયથી ખુબ પ્રભાવિત થયા હતા અને પોતાના ઉદ્બોધનમાં તેઓ સનાતન ધર્મ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાત કરી હતી. અંતે વિદ્યાલયના વ્યવસ્થાપક દિપકભાઈ વડાલીયાએ અભારદર્શન કરાવ્યું હતું. ત્યાર પછી શાંતિમંત્ર બોલી અતિથિએ ભારતમાતાનું પૂજન કરી ભારતમાતા અને બાવન શક્તિપીઠની મહાઆરતી કરવામાં આવી હતી.