ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા, મહાનુભાવોના સન્માન પણ થયા : સમગ્ર જિલ્લો તિરંગાના રંગે રંગાયોમોરબી : મોરબી જિલ્લાની શાળા-કોલેજો, વિવિધ સંસ્થાઓ અને સોસાયટીઓમાં પ્રજાસત્તાક પર્વની આન-બાન-શાનથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. આ સાથે મહાનુભાવોના સન્માન કાર્યક્રમ પણ થયા હતા. આમ આજે સમગ્ર જિલ્લો તિરંગાના રંગે રંગાયો હતો.મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ગરિમાપૂર્ણ ઉજવણી મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી .આ સમારંભમાં કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાના આમંત્રણને મુખ્ય અતિથિ તરીકે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને ગૌસેવક વેલજીભાઈ ઉઘરેજા (બોસ ગ્રુપ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વેલજીભાઈ ની સમાજસેવા અને ગૌસેવા ને બિરદાવતા સંસ્થા દ્વારા તેમનું સન્માનપત્ર અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ તકે તેમના દ્વારા પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું હતું .વિધાર્થીઓએ દેશભક્તિ ને લગતા વક્તવ્યો, નાટકો અને ગીતો રસપ્રદ અને છટાદાર શૈલીમાં રજુ કર્યા હતા. CA-FOUNDATION તથા CA-INTER જેવી કારકિર્દીલક્ષી પરીક્ષા પાસ કરનાર તેજસ્વી વિધાર્થીઓ, વિવિધ ફેકલ્ટીઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર તેજસ્વી વિધાર્થીઓ અને કોમર્સ વિદ્યાશાખાના મુખ્ય કહી શકાય તેવા વિષય ACCOUNTANCY (નામા પધ્ધતિ) માં યુનિવર્સીટીકક્ષાએ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવનાર તેજસ્વી વિધાર્થીઓનું શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.__________________________________મોરબીની રોટરીગ્રામ (અ.) પ્રા.શાળામાં ઘ્વજવંદન કાર્યક્રમ યોજાયો મોરબી : રોટરીગ્રામ (અ.) પ્રથમિક શાળામાં આજરોજ 76માં પ્રજાસતાક દિનની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગામમાં સૌથી વધુ અભ્યાસ કરેલી દીકરી રીનાબેન શામજીભાઈ પાંચોટિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ગ્રામ પંચાયત સાથે સંકલન કરી સાંસ્કૃતિક કાર્યક્રમની બે કૃતિ વિદ્યાર્થીઓએ રજુ કરી હતી. આ કાર્યક્રમમાં ગામના તેજસ્વી વિદ્યાર્થીઓનું અમરનગર ગ્રામ પંચાયત દ્વારા સન્માનપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સરપંચ તથા ગ્રામના વાલીઓ, એસ એમ સી સમિતિના સભ્યોએ હાજરી આપી હતી. ગામના રવિભાઈ છત્રોલા, બેચરબાપા તરફથી વિવિધ પ્રકારના નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ.ભાનુબેન નરભેરામભાઈ કોરડીયાની પુણ્યતિથિ નિમિત્તે યદુનંદન ગૌ શાળાની મુલાકાત લઈ વડીલોને સવારનો નાસ્તો કરાવ્યો અને ગાયોને લીલું ઘાસનું દાન આપ્યું હતું. દાતાઓ તરફથી દાનની સરવાણી વહેવડાવવામાં આવી હતી. શાળાના આચાર્ય મણિલાલ વી. સરડવા અને શાળા પરિવારે તમામ લોકોનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.__________________________________મોરબીની શોભાકુંજ સોસાયટીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમોરબી : દર વખતની જેમ આ વખતે પણ મોરબીની શોભાકુંજ સોસાયટીના રહીશો દ્વારા 76મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ વખતે પણ દેશના ભવિષ્ય એવા નાના બાળકોના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ બધા લોકો શાંતિના પ્રતિક એવા સફેદ કલરના વસ્ત્ર પહેરી રાષ્ટ્રધ્વજને સલામી આપી તથા બાળકોએ વિવિધ વેશભુષા ધારણ કરી આ ઉજવણીમા ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નાના ભૂલકાઓ તથા મહિલાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. અંતમાં વડિલ તથા નિવૃત્ત શિક્ષક ચંદુભાઈ દલસાણીયા દ્વારા 26 જાન્યુઆરીના ઇતિહાસ વિષે જાણકારી આપતી સ્પીચ આપવામાં આવી હતી અને બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદ, ઝાંસી કી રાની લક્ષ્મીબાઇ તેમજ અન્ય દેશભક્તિના ગીતો રજુ કરાયા હતા. કાર્યક્રમના અંતે પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી.__________________________________મોરબી સાર્થક વિદ્યા મંદિરમાં ગણતંત્ર દિવસની ઉજવણી મોરબી : સાર્થક વિદ્યામંદિર ખાતે આજે 26 જાન્યુઆરીના દિવસે 76માં ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે. આ પર્વની ઉજવણીમાં નોંધનીય બાબત એ છે કે શાળામાં સહાયક વ્યક્તિઓ એટલે કે સફાઈ કર્મચારી અને શાળાના સિક્યુરિટી દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ રાષ્ટ્રયજ્ઞ પણ કરવામાં આવ્યો હતો.__________________________________મોરબીના પેંગ્વિન સીરામીક ખાતે ધ્વજવંદન કરાયુંમોરબી : આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મોરબીના પેંગ્વિન સીરામીક ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કંપનીના માલિક સુરેશભાઈ સરડવા, હિંમતભાઈ સરડવા તથા કંપનીનો સ્ટાફ મળી કુલ 50થી વધુ લોકો હાજર રહ્યા હતા.__________________________________માળિયા(મી.)ના ખાખરેચી ગામે સાર્વજનિક હાઈસ્કૂલ તથા પ્રાથમિક શાળાનો સયુંકત રીતે પ્રજાસતાક દિન ઉજવાયોમાળીયા(મી.) : ખાખરેચી ગામે ગ્રામ પંચાયત, સાર્વજનિક હાઈસ્કૂલ, મિશ્ર પ્રાથમિક શાળા, કુમાર પ્રા.શાળા અને કન્યા પ્રા.શાળાના સયુંકત ઉપક્રમે 76મા પ્રજાસતાક દિનની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા પરેડ સાથે ખાખરેચી ગામના સરપંચ વનીતાબેન દિનેશભાઇ પારજીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય મેહુલભાઈ ભોરણિયાએ આઝાદી અપાવનાર શહીદો અને સ્વાતંત્ર્યસેનાનીઓના જીવનમૂલ્યોની વાત કરી હતી. અને બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર દ્વારા રચાયેલ ભારતીય બંધારણ વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવે છે તે સમગ્ર ભારતવાસીઓનું ગૌરવ છે. અને ઇનામ વિતરણના દાતા અને અન્ય દાતાઓને બિરદાવીને આભાર વ્યક્ત કર્યો હતો. પ્રસંગને અનુરૂપ વિદ્યાર્થીઓએ શહીદ ભગતસિંહ અને બેટી બચાવો, બેટી પઢાવો પર પોતાના વિચારો રજુ કર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત પર નૃત્ય, એકપાત્રિય અભિનયો અને પિરામિડ જેવા કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. આ તકે સમગ્ર વર્ષ દરમિયાન શાળામાં યોજાયેલ સહભ્યાસિક પ્રવુતિમાં વક્તૃત્વ સ્પર્ધા, શિક્ષક દિન, મહેંદી સ્પર્ધા, નવરાત્રી ઉત્સવ જેવી જુદી જુદી સ્પર્ધામા પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને તથા પ્રાથમિક શાળામાં જ્ઞાનસેતુ અને વાર્તા લેખનમાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને દાતા સરપંચ વનીતાબેન દિનેશભાઇ પારજીયા દ્વારા ફોલ્ડર ફાઈલ અને પેડ જેવા ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ, વક્તવ્ય તેમજ અભિનય રજુ કરનાર તમામ વિદ્યાર્થીઓને મહેમાનો અને ગ્રામજનો દ્વારા રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ રાષ્ટ્રીય પર્વને ખાખરેચી ગ્રામ પંચાયતના સરપંચ વનીતાબેન દિનેશભાઇ પારજીયા, ખાખરેચી જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઈ પારજીયા, સહકારી મંડળીના પ્રમુખ અશોકભાઈ બાપોદરિયા, ઉપસરપંચ મેહુલભાઈ મેવાડા, પંચાયતના તમામ સદસ્યો, તમામ શાળાના આચાર્યો તથા શિક્ષકગણ, આંગણવાડી અને ગ્રામજનોની હાજરીમાં તમામ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો.__________________________________ઊંચી માંડલ પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો : દાતાઓનું સન્માન કરાયુંમોરબી : આજરોજ તા. 26મી જાન્યુઆરીના રોજ શ્રી ઊંચી માંડલ પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ તથા દાતાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં દાતાઓ રાજુભાઈ, પુનિતભાઈ, છગનભાઈ, શૈલેષભાઈ તેમજ વૈભવભાઈએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. આ દરમ્યાન તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ નેક્શન સીરામીક, સિમ્પોલો ફાઉન્ડેશનના મનસુખભાઈ તથા કપિલભાઈ દ્વારા નિયો ફાઉન્ડેશન રાજકોટ દ્વારા ચાલતા એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત શાળાને 15 કોમ્પ્યુટર દાનમાં આપ્યા તે બદલ તેમનો આભાર માની સાથે જ કોમ્પ્યુટર લેબનું અનાવરણ કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જ્યોતિબેન વિડજા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના સમગ્ર સ્ટાફે સહયોગ આપ્યો હતો. ત્યારે ગામના સરપંચ રવિરાજસિંહ પરમાર દ્વારા શાળાના તમામ 272 બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું.__________________________________ફિટનેસ વુમન ગ્રુપ 1ના યોગા ટ્રેનર દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણીમોરબી : ગુજરાત યોગ બોર્ડ ફિટનેસ વુમન ગ્રુપ 1ના યોગા ટ્રેનર કાજલ બેન આદ્રોજા દ્વારા આજે 26મી જાન્યુઆરીના રોજ યોગાના 70 થી 100 સાધકોએ સાથે મળી ન્યુ આદર્શ સોસાયટી નવા બસ સ્ટેન્ડની સામે મોરબી ખાતે 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.__________________________________કાછીયાગાળા શાળામાં પ્રજાસત્તાક પર્વે કૃષ્ણ લીલા યોજાઇવાંકાનેર : વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામની શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામા આવ્યો. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વિવિધ નૃત્યો અને અભિનય રજૂ કરાયા . શાળાના શિક્ષક પરેશભાઈ બાવળિયા દર વર્ષે મહાદેવ, રામદેવ પીર, રાવણ વગેરે વેશ ધારણ કરતા હોય છે, આ વર્ષે શ્રી કૃષ્ણ લીલા ભજવવામાં આવી. જેમાં તેઓએ કંસનો વેશ ધારણ કરી તેમના અભિનયથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા.__________________________________ટંકારાની વિરપર પ્રાથમિક શાળામાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ ટંકારા : ટંકારાની વિરપર પ્રાથમિક શાળામાં આજ રોજ ભારતમાતા પૂજન સાથે 76માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. જેમાં વિરપર ગામના સરપંચ મહેશભાઈ લિખિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ સ્વાતંત્ર્ય પર્વમાં ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં બાલવાટિકા તેમજ ધોરણ 1 થી 8માં પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબર મેળવેલા વિદ્યાર્થીઓને શીલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ દરમ્યાન શિલ્ડના દાતા રજનીભાઇ રાજપરા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 10 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં અડકો દડકો, બાલવાટિકા વિદ્યાર્થીઓ દ્વારા ધોરણ 3 ક્રિષ્નામેરા, જલવા ધો. 6 થી 8, હસતાં રમતાં, માધવ મારા મોહનજી નવા વિરપર પ્રા. શાળાના બાળકો દ્વારા પાપા મેરે પાપા, રાણી લક્ષ્મીબાઈ, તેરી મીટી મે, પિરામિડ રજુ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય મહેન્દ્ર ગોસરા રાકેશ છત્રોલા, જનકભાઈ, પ્રાણજીવનભાઈ, છાયાબેન, બિન્દુબેન, નેહાબેન, વૈશાલીબેન, મિનાક્ષીબેન, દક્ષાબેન, ધર્મિષ્ઠાબેન દ્વારા સુંદર જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં વિરપર ગામના સરપંચ મહેશભાઈ લિખિયા તથા તલાટી કમ મંત્રી ગિરીરાજ સિંહ ઝાલા, પ્રહલાદ સિંહ જાડેજા, રિઝવાન ઉનડ પૌત્રા ગ્રામ પંચાયતના સભ્યો વાલીગણ તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.__________________________________જામસર CRCની પ્રાથમિક શાળાઓમાં દેશભક્તિના કાર્યક્રમ યોજાયાવાંકાનેર : વાંકાનેર તાલુકાના જામસર CRCની પ્રાથમિક શાળાઓ દ્વારા ગત તા. 25 જાન્યુઆરીને શનિવારના રોજ ગ્રામલોકોમાં દેશભકિત ઉજાગર થાય તે માટે ગામની જાહેર જગ્યાઓ પર તેજસ્વી વિદ્યાર્થી સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું. જેના દેશભક્તિ ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે, દેશભકિત ગીત, દેશને લગતા નાટક, પિરામિડ, એકપાત્ર અભિનય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી ગ્રામજનોમાં દેશભકિત ઉજાગર કરવામાં આવી. આ ઉજવણી અન્વયે જામસર સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ એસ. દ્વારા દરેક શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.__________________________________રવાપર ઘુનડા રોડ પર ફ્લોરા 158માં ધ્વજવંદ કાર્યક્રમ યોજાયોમોરબી : રવાપર ઘુનડા રોડ પર આવેલા ફ્લોરા 158માં આજે 26મી જાન્યુઆરી નિમિતે ધ્વજવંદનના કાર્યક્રમનું રંગારંગ આયોજન થયુ હતું. જેમાં ધ્વજ વંદનના કાર્યક્રમ વહેલી સવારે ફ્લોરા 158માં રહેતા તમામ રહેવાસીનું સમુહ ચંદનનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું.આ દરમ્યાન ફ્લોરા 158ના તમામ સભ્યો સાથે મળીને સવારનો નાસ્તો કર્યો હતો. તેમજ ધ્વજવંદનના કાર્યક્રમમાં ફ્લોરા 158 નાાના મોટા બાળકોએ દેશભક્તિ આધારિત સ્પીચ આપી અને દેશભક્તિ આધારિત નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. ત્યારબાદ રમત ગમતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નાના બાળકોથી લઈને વડીલો સુધીની તમામ લોકો રમત ગમતમાં ભાગ લીધો હતો. રમત ગમતમાં વિજેતા થનારને પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવા માટે ફ્લોરા 158 પ્રમુખ નિમેષ જીવાણી તથા કમિટી મેમ્બરે ભારે જહેમત ઉઠાવી હતી.__________________________________નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી કુંભ મેળો એ દેશની સામાજિક સમરસતા માટેનું ઉત્તમ ઉદાહરણ : જિતેન્દ્રભાઈ વિરામગામા આજ રોજ 76માં ગણતંત્ર દિવસની નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબી દ્વારા યાદગાર ઉજવણી કરવામાં આવી. જેમાં સંસ્થાના બંને યુનિટમાં ધ્વજ વંદન કરવાં આવ્યું. RSSના જિલ્લા બૌધિક પ્રમુખ જિતેન્દ્રભાઈ વિરમગામાના હસ્તે વિરપર બ્રાન્ચ તથા મોરબી બ્રાન્ચ પર એક્સ આર્મી મેન મજબૂતસિંહ ઝાલાના હસ્તે ધ્વજને સલામી આપવામાં આવી. આ કાર્યક્રમની શરૂઆત ભારતમાતા પૂજન તથા ભારતમાતાની આરતીથી કરવામાં આવી. તેમજ NCC બોયઝ બટાલિયન તથા ગર્લ્સ બટાલિયન દ્વારા શિસ્તબદ્ધ રીતે પરેડ કરવામાં આવી. આ ઉપરાંત દેશભક્તિને ઉજાગર કરતાં સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં કે.જી.થી કૉલેજ સુધીના વિદ્યાર્થીઓ દ્વારા સમૂહગાન, ડાન્સ, ડ્રામા, વકતૃત્વ જેવા કાર્યકમો, જેનો મુખ્ય વિષય દેશભકિત, પર્યાવરણ જાગૃતિ, નાગરિક તરીકે આપનું કર્તવ્ય, સ્વદેશી જાગરણ, સામાજિક એકતા તેમજ સમરસતા, પારિવારિક ભાવના જળવાઈ રહે જેનું નિરૂપણ થયું. આ સાથે જ ઈનામ વિતરણનું પણ કરાયું હતું. આ દરમ્યાન તાલુકા, જિલ્લા, રાજ્યકક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ શાળાનું નામ રોશન કરનારા વિદ્યાર્થીઓનું સિલ્ડ ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું. જાહેર પરીક્ષામાં ટોપ કરનાર વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને નવાજવામાં આવ્યા. આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન આપતા જિતેન્દ્રભાઈ વિરમગામાએ જણાવ્યું કે, આઝાદી મેળવવા માટે ઘણા લોકોના બલિદાન હતા. તેમને આપણે જાળવી રાખવાની છે. તેમને વધુમાં કહ્યું કે, કુંભ મેળો એ દેશની સામાજિક સમરસતા માટેનું ઉત્તમ ઉદાહરણ છે. આપણાં દેશના ગૌરવમય ઇતિહાસને યાદ રાખવાનો, જેને અંગ્રેજોએ ઇતિહાસમાં સ્થાન નથી આપ્યું એને યાદ રાખવાનો છે. મજબૂજસિંહ ઝાલાએ પોતાના આર્મીના અનુભાવો કહ્યા હતા. અને વિદ્યાર્થીઓને આર્મી જેવી શિસ્ત પોતાના જીવનમાં ઉતારવા આહ્વાન કર્યું હતું. સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ પોતાના પ્રવચનમાં સંઘને સંસ્કાર ઘડતર કરતી ઉત્તમ સંસ્થા ગણાવી અને બાળકોને પોતાના વ્યક્તિત્વ વિકાસ માટે સંઘમાં જોડાવા આહ્વાન કર્યું. આ સર્વે કાર્યક્રમો સરકારની ગાઈડલાઇન મુજબ ખૂબ સારી રીતે અને આગવી રીતે કરવા બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તથા શ્રીમતી રંજનબેન પી. કાંજીયાએ દરેકનો આભાર વ્યક્ત કરી ઉત્સાહ વધાર્યો. આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયાએ જહેમત ઉઠાવી હતી.__________________________________યોગ બોર્ડના ફિટનેસ વુમન ગ્રુપ 2 દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમોરબી : ગુજરાત યોગ બોર્ડ ફિટનેસ વુમન ગ્રુપ 2ના યોગા ભારતી રંગપરિયા તેમજ ગુજરાત યોગ બોર્ડના સુપરવાઈઝર વાલજી ભાઈ ડાભી અને યોગા ટ્રેનર કાજલ બેન આદ્રોજાએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં અર્ચનાબેન સિંહ (જામનગર યોગ કોચ)ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. યોગાના સાધકો અને 200 હરિગુણના ભાઈઓ અને બહેનો ભેગા મળીને પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.__________________________________શનાળામાં સરસ્વતી શિશુમંદિર ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી મોરબી : શનાળામાં શ્રી સરસ્વતી શિશુમંદિર ખાતે આજે તા. 26 જાન્યુઆરીન રોજ 76માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વિદ્યાલયના સક્રિય વાલી શૈલેષભાઈ ઝાલરીયા ઉપસ્થિત રહ્યા હતા.આ સાથે વિદ્યાલયના ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો, પ્રધાનાચાર્યો, આચાર્યો, વાલીગણ અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શૈલેષભાઈના હસ્તે ધ્વજવંદન કર્યા બાદ કાર્યક્રમના મુખ્ય વક્તા પ્રમુખ ડોક્ટર બાબુભાઈ અઘારાએ ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવતાની સાથે બંધારણ શું છે? શા માટે છે? અને કેવું હોવું જોઈએ? આ વિષય પર ઊંડાણપૂર્વક માહિતી આપી. તેમના વક્તવ્ય બાદ વાલી પ્રશ્નપત્રમાં વિજેતા થયેલા વાલીઓને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા. ત્યારબાદ કક્ષા-7ના વિદ્યાર્થીઓ દ્વારા અંગ્રેજી અને રાષ્ટ્રભાષા હિન્દીમાં વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રેમ વિશે વક્તવ્ય રજૂ કરતા કહ્યું કે, રાષ્ટ્રભક્તિ કેવી હોવી જોઈએ? માત્ર રાષ્ટ્રગાન બોલવું, નારા બોલવા એ જ રાષ્ટ્ર ભક્તિ નથી, પરંતુ દેશમાં પર્યાવરણની જાળવણી કરવી, નદીઓને સ્વચ્છ રાખવી, વૃક્ષનું જતન કરવું, અને પોતાનું નાગરિક તરીકેનું કર્તવ્ય જાળવી રાખવું એ પણ સાચી રાષ્ટ્રભક્તિ જ છે.ત્યારબાદ બાલવાટિકાના નાના-નાના ભૂલકાઓ દ્વારા જુદી- જુદી રમતો જેવી કે લીંબુ ચમચી, કોથળાદોડ, ગ્લાસ પિરામિડ વગેરે રમવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કક્ષા 1 થી 4ના વિદ્યાર્થીઓએ દેશભક્તિને લગતી જુદી-જુદી કૃતિઓ રજૂ કરી હતી. તેમજ વિદ્યાલયના વહન સારથી દ્વારા વિદ્યાર્થીને તૈયાર કરાવેલ કાકભુષંડી રામાયણ રજૂ કરવામાં આવી હતી. અંતે ભારતમાતાનું પૂજન કરી, શાંતિ મંત્ર બોલી અને પ્રસાદ લઈને આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.__________________________________કાંતિપુર પ્રા. શાળામાં હર્ષોલ્લાસ સાથે ઉજવાયો પ્રજાસતાક દિનમોરબી તાલુકાની કાંતિપુર પ્રા. શાળામાં માત્ર 1થી 5 ધોરણ અને 24 બાળકોની સંખ્યામાં અદભૂત રીતે 76 માં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી. ગામની સૌથી વધુ ભણેલી દીકરી આદ્રોજા બંસી દિનેશભાઈ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ તકે સમગ્ર ધ્વજવંદન નું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો જેમાં 12 જેટલી કૃતિ તથા સ્પીચ રજૂ કરવામાં આવી. માત્ર 5 થી 10 વર્ષના બાળકોએ અદભુત રીતે સમગ્ર કાર્યક્રમ કર્યો તેમાંય બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા ઝાલાવાડી રાસ ને વન્સ મોર (ફરીવાર રજુઆત) માટે પસંદ કરવામાં આવ્યું અને ગ્રામજનો એ એને ખૂબ વધાવ્યું.આ તકે ગ્રામજનો તરફથી 7000 જેટલી રોકડ રકમ ફાળો થયો ઉપરાંત અરવિંદભાઈ કલોલા, વિનોદભાઈ કલોલા, ગીતાબેન કલોલા(સરપંચશ્રી), ધનજીભાઈ ઠોરિયા(પૂર્વ નિવૃત્ત આચાર્ય) તથા પારુલબેન સવસાણી(પૂર્વ આચાર્ય) તરફથી તમામ બાળકોને શૈક્ષણિક કીટ શાળામાં આપવામાં આવી. ઉપરાંત ગામની જ બે દીકરીઓ કલોલા ઊર્વિશા અરવિંદભાઈ કે જે નેશનલ લેવલ યોગ માં ભાગ લીધેલ તથા ઠોરીયા વિશ્વાબેન જયેશભાઈ કે જેઓ નેશનલ કક્ષાએ કુસ્તીમાં બીજા નંબરે આવેલ જે ગામ અને શાળા માટે ગૌરવ કહી શકાય એમનું શાળા પરિવાર વતી વિશેષ સન્માન કરવામાં આવ્યું.. તથા તેજસ્વી તારલા નું સન્માન કરવામાં આવ્યું જેમાં કલોલા ધ્યાની, અગ્રાવત હેત, ઠોરિયા તુલસી, આદ્રોજા આયુશી, કલોલા ઉર્વિશા નું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું. ગ્રામજનો અને ઉપસ્થિત smc સભ્યો તથા ગ્રામ પંચાયત સભ્યો દ્વારા શાળા સ્ટાફ અને શાળા કામગીરીને બિરદાવી હંમેશા શાળા માટે કોઈપણ જરૂરિયાત હોઈ શાળા પરિવાર સાથે જ છે એવું જણાવ્યું, ત્યારે શાળા સ્ટાફ દ્વારા પણ બાળકોને પ્રાઇવેટ શાળાની અપેક્ષાએ આપણી ગામની સરકારી શાળામાં જ ઉત્તમ શિક્ષણ આપવામાં આવશે એવી બાંહેધરી આપવામાં આવી.સમગ્ર કાર્યક્રમની તૈયારી શાળાના સ્ટાફ બેનશ્રી પૂજાબેન ચાંચડિયા તથા શાળાના આચાર્યશ્રી સંજયભાઈ ગઢવી દ્વારા કરવામાં આવી હતી. Smc અધ્યક્ષશ્રી કાંતિલાલ આદ્રોજા, કલોલા રાજેશભાઈ, કલોલા રમેશભાઈ, પરમાર મહેશભાઈ તથા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ બહેનોએ આ તકે ખૂબ જહેમત ઉઠાવી હતી. ગામની ગૌશાળાના સાઉન્ડ સિસ્ટમ થકી કાર્યક્રમ પાર પાડ્યો હતો. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ આ તકે ઉપસ્થિત વિદ્યાર્થીના વાલી અને શિક્ષક તરીકે ફરજ બજાવતા એવા કલોલા વિપુલભાઈ દ્વારા કરવામાં આવી. આ તકે પધારેલ ગ્રામજનો, smc સભ્યો, ગ્રામ પંચાયત સભ્યો, આંગણવાડી કાર્યકર બહેનો, મ.ભો. સ્ટાફ, પૂર્વ નિવૃત્ત આચાર્ય ધનજી સાહેબ અને પૂર્વ આચાર્ય પારૂલબેન તથા શાળાના ધ્વજવંદન કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા આવેલ તમામનો શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી હર્ષની લાગણી અનુભવે છે.__________________________________લુણસર ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ખાતે 76માં ગણતંત્ર દિવસની યાદગાર ઉજવણી રૂપે આજે તા. 26-1-2025ને રવિવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવાભારતી સંલગ્ન ડૉ. હેડ ગેવાર સ્મારક સમિતિના યજમાન પદે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ રક્તદાનમકેમ્પમાં ખાનપર દેરાળા વિ.ગ્રામ્યજનોએ ઉત્સાહ દાખવ્યો હતો. સી.યુ.શાહ ટી.બી.હોસ્પિટલ સુરેન્દ્રનગરની ટીમ દ્વારા કુલ 50 બોટલ રક્ત એકઠું કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંઘ કાર્યકરો જગદીશ ભાઈ વરમોરા, ડો.હર્ષદભાઈ ભીમાણી તથા ગ્રામવાસીઓએ જહેમત ઉઠાવી હતી. ત્યારબાદ ભોજન પ્રસાદ લઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી.__________________________________માળીયા(મી.)ના મોટીબરાર ગામે 76માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણીમોરબી : 76માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે માળિયા(મી.) તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળા તેમજ મોડેલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બંને શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમમાં મોટીબરાર ગ્રામ પંચાયત દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. સાથે મોટીબરાર ગામના ઉપસરપંચ સહદેવસિંહ જાડેજા તરફથી આંગણવાડી અને પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તા બોક્સની ભેટ આપવામાં આવી હતી. તેમજ કાર્યક્રમના અંતે શ્રવણભાઈ હુંબલ દ્વારા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.__________________________________ટંકારા પ્રેરણા શૈક્ષણિક સંકુલ મુકામે પ્રજાસત્તાક પર્વની ઉજવણી ટંકારા : પ્રેરણા શૈક્ષણિક સંકુલ મુકામે 76માં પ્રજાસત્તાક પર્વ નિમિતે ધ્વજ વંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ, ઈનામ વિતરણ, સન્માન સમારોહ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.__________________________________ટંકારાના હડમતીયા ગામે 'દીકરીના પ્રણામ દેશને નામ' થીમ સાથે ગણતંત્ર દિવસની ઉજવણીટંકારા : હડમતીયા ગામે એમ.એમ.ગાંધી વિદ્યાલયમાં 76માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે 'દીકરીના પ્રણામ દેશને નામ' અંતર્ગત હડમતીયા ગામમાં સૌથી વધુ ભણેલ દીકરી ઊર્મિબેનના હાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને તેમનું શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે વર્ષ 2023-24ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ હડમતીયા ગામના વૃક્ષપ્રેમી નાગરિકોને પુસ્તક આપી સન્માનિત કરાયા હતા. ગામની ત્રણેય શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો પર ડાન્સ, પેટ પકડીને હસાવતું નાટક અને પિરામિડ જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. ગામના સરપંચના પ્રતિનિધી પંકજભાઈ રાણસરિયા, ગ્રામ પંચાયતના સદસ્યો, એમ.એમ.ગાંધી વિદ્યાલયના ટ્રસ્ટીઓ, એસ.એમ.સીના અધ્યક્ષ, સભ્યો, ગામના વડીલો અને મોટી સંખ્યામાં વાલીઓ જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.__________________________________સીમા જાગરણ મંચ મોરબી દ્વારા સીમાવર્તી ગામોમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયોમોરબી : સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા તારીખ 24 થી 26 જાન્યુઆરી સુધી સરહદ કો પ્રણામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ જિલ્લાના પ્રતિભાગીઓએ મોરબી જિલ્લાના સીમાવર્તી ગામોની મુલાકાત લીધી હતી. તેમણે ગ્રામજનો સાથે ત્યાં પ્રવાસ કર્યો હતો અને ગામની અનુભુતી કરી હતી. સાથે જ 26મી જાન્યુઆરીના દિવસે સીમાવર્તી ગામોમાં ભારતમાતા પૂજન, તિરંગા યાત્રા અને ધ્વજવંદન કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.__________________________________મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમોરબી : વિદ્યાર્થીઓમાં ભારતમાતા પ્રત્યે કૃતજ્ઞતા ભાવ જાગૃત થાય તેમજ ભારતીય બંધારણના નિર્દેશ અનુસાર નાગરિક ધર્મ અને રાષ્ટ્ર પ્રત્યેની કર્તવ્યભાવના ઉજાગર થાય તે ભાવનાથી 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં ભારતમાતા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ભારતમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું. અખંડભારતને વિશ્વગુરુ બનાવવા તેમજ સંસ્કાર અને સંસ્કૃતિના જતન માટે ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને દીપાવવા શાળાના શિક્ષક સંજય બાપોદરિયા અને ચિરાગ ગામી દ્વારા સમગ્ર પૂર્વતૈયારી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય જલ્પેશભાઈ વાઘેલા તેમજ શિક્ષક ભાઈઓ-બહેનોએ સહભાગીતા દાખવી વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી.__________________________________મોરબીની સૈફી મસ્જિદ ખાતે ધ્વજવંદન કરાયુંમોરબી : મોરબીમાં 26મી જાન્યુઆરીના રોજ ઠેર ઠેર 6મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોરબીની સૈફી મસ્જિદ ખાતે પણ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના દાઉદી વ્હોરા સમાજના અગ્રણી વાલીમુલા શબ્બીરભાઈ કે.બી. દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાઉદી વ્હોરા સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.__________________________________દેવ સોલ્ટ અને દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા પ્રજાસતાક દિવસની ઉજવણી વિવિધ ગામની શાળામાં 3000 વિદ્યાર્થીઓને નાસ્તો અને ચોકલેટ વિતરણ કર્યુંમાળિયા (મી) : માળિયા (મી.) સ્થિત દેવ સોલ્ટ પ્રા.લી.માં પ્રજાસતાક દિવસની ઉજવણી નિમિતે કંપનીના પટાંગણમાં ધ્વજવંદન કરવામાં આવ્યું. જેમાં કંપનીના પ્રોડકશન મેનેજર ભુપતસિંહ જાડેજા દ્વારા ધ્વજ ફરકાવાયો હતો અને અન્ય કર્મચારીઓ સહભાગી બન્યા હતા. દેવ સોલ્ટ પ્રા.લી. તેમજ દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન સામાજિક કલ્યાણની પ્રવૃતિઓમાં સદય માટે ઉત્સુખ રહે છે. જેના ભાગ રૂપે પ્રજાસતાક દિવસની ઉજવણી નિમિતે વિવિધ ગામની શાળાના 3000 વિદ્યાર્થીઓને નાસ્તો અને ચોકલેટ વિતરણ કર્યું હતું. આ વિતરણ દેવ સોલ્ટના તેમજ દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન પ્રતિનિધિ વિવેક ધ્રુણા અને રમજાન જેડા ઉપસ્થિત રહ્યા હતા.__________________________________