કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં 145 જેટલા ઘાયલ કબુતરો આવ્યા, 150 જેટલા યુવાનોની ટિમ સંક્રાંતના તહેવાર ઉપર પક્ષીની સારવારમાં સતત ખડેપગે રહીમોરબી : મોરબીમાં મકરસંક્રાંતિએ લોકોએ પતંગ ઉડાડી ખૂબ મોજ-મસ્તી કરી પણ બીજી તરફ આ દિવસ પક્ષીઓ માટે દુઃખદાયી રહ્યો હતો. શહેરમાં પતંગની દોરીએ 22 જેટલા કબુતરોનો જીવ લીધો હતો. બીજી તરફ અનેક પક્ષીઓએ દોરીમાં આવી જતા ઘાયલ પણ થયા હતા.મોરબીમાં ગઈકાલે મકરસંક્રાંતિએ કર્તવ્ય જીવદયા કેન્દ્ર સતત ધમધમતું રહ્યું હતું. 150 જેટલા યુવાનોની ટિમ મોજ-મજા છોડી પક્ષીઓના જીવ બચાવવાની સેવામાં લાગી હતી. ગઈકાલે અહીં 120 જેટલા ઘાયલ પક્ષીઓ આવ્યા હતા. આ ઉપરાંત આજે પણ 25 જેટલા ઘાયલ પક્ષીઓ આવ્યા છે. આ તમામ કબૂતર હતા. આમાંથી 22 જેટલા કબુતરોના મોત નિપજ્યા છે. બાકીના કબૂતરોની સારવાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટિમ 108ની જેમ સતત દોડતી રહી હતી. 20 જેટલા કલેક્શન સેન્ટરોએથી અને ફોન આવે એટલે ત્યાંથી પક્ષીઓને લઈ બાપા સીતારામ ચોક ખાતે લઈ આવી સારવાર કરવામાં આવી હતી.___________________________વાંકાનેરમાં બે કબૂતર ઘાયલ થયા, હળવદમાં એક ફ્લેમીંગોનું મોતકરુણા અભિયાન અંતર્ગત ત્રણ પક્ષી સારવામાં આવ્યા હતા. જેમાં વાંકાનેરમાંથી 2 કબૂતર અને હળવદથી એક ફ્લેમિંગો ઘાયલ થયું હોય, અહીં સારવાર માટે લઈ આવવામાં આવ્યું હતું. જેમાં ફ્લેમિંગોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.___________________________