મોરબી : મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર સ્વપ્નિલ ખરે દર સોમવાર અને ગુરુવારે બપોરે 3 થી 6 વાગ્યા સુધી લોકોના પ્રશ્નો સાંભળશે. મોરબી મહાનગરપાલિકાને લગતી ફરિયાદો/પ્રશ્નો સાંભળવા માટે જાહેર સુખાકારીના હેતુથી અને પ્રશ્નોના નિકાલ કરવા મહાનગરપાલિકા કચેરી ખાતે કમિશનરને લોકો રૂબરૂ મળી શકશે. જેના માટે લોકો દર સોમવારે અને ગુરુવારે 3 થી 6 વાગ્યા સુધી કમિશનરને મળીને પોતાની રજૂઆતો કરી શકશે.