વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાલપર ગામની સીમમાં નવા બાંધકામમાં પીલર ભરવા માટે પાંજરું બનાવી ફિટ કરતી વેળાએ બે શ્રમિકોએ પાંજરું ઊંચું કરતા આ લોખંડનું પાંજરું વીજલાઈનને અડકી જતા બે શ્રમિકોને વીજ શોક લાગ્યો હતો જેમા મધ્યપ્રદેશના વતની એક શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામે હસનભાઈ જલાલભાઈ શેરસિયાના પ્લોટમાં મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના વતની ભારતભાઈ દિલીપભાઈ ભુરિયા ઉ.25 અને ગોલુભાઈ પ્રતાપભાઈ ડાભી પીલર ભરવા માટેનું પાંજરું દીવાલ ઉપર બેસી ફિટ કરતા હતા ત્યારે ઉપર ધ્યાન ન રહેતા આ પાંજરું વીજ લાઈનને અડકી જતા બન્ને શ્રમિકને વીજ શોક લાગતા ભારતભાઈ ભુરિયાનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.