મોરબી : ગત તારીખ 1 ડિસેમ્બરના રોજ મોરબીના નર્મદા બાલઘર દ્વારા સાર્થક વિદ્યામંદિર ખાતે સ્કૂલ સાયન્સ ટીચર્સ કન્વેન્શન એક્ઝિબિશન એન્ડ ડિસ્કોર્સિસ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્કૂલ ઉંમરના વિદ્યાર્થી નવી ટેક્નોલોજીમાં તક મળતા પ્રવીણ થાય છે. તે બધા શિક્ષકો અને વાલીઓ સામે રજૂ કરવાનો હતો. તથા Nonbeliever પણ પ્રૂફ જોયા પછી Believer બને તે હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડો. અનામીક શાહ, ડો. રમેશ ભાયાણી, ડો. દર્શન પટેલ, ડી.વી. મેહતા, કિશોર હેમાણી, કિશોરભાઈ શુકલ, મહેન્દ્રભાઈ અજમેરા, ડો.સી.કે. કાનાણી, કિરીટ વસ્સા સહિતના શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા બાલઘર તરફથી ટ્રસ્ટીઓ, વિવિધ શિક્ષક અને સેવકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ શાળાના 10 થી 18 વર્ષના 30 બાળકો દ્વારા સંચાલન તથા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન મોરબીના બાળકો, માતા-પિતાઓ, શિક્ષણવિદો સહિત કુલ 2000 થી વધુ લોકોએ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 6 બુથમાં અનુભવી વિજ્ઞાન, ૩ડી પ્રિન્ટિંગ, ડ્રોન ટેક્નોલોજી, ડિજિટલ સિટિજન, A.I ટૂલ્સ, A.I પ્રોડક્ટ, Virtual Reality, ડ્રૉઇંગ, ડિજિટલ ડ્રૉઇંગ, એનિમેશન સ્ટોરી, સ્ટોન મ્યુરલ વર્ક, ઈલેક્ટ્રોનિક મ્યુરલ વર્ક, ભરતગૂંથણ, કમ્પ્યુટર ઓપરેશન, કમ્પ્યુટર કોડિંગ વગેરે પ્રકારના કોર્સનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ પોતાની અંદર રહેલી આવડત પ્રદર્શિત કરી હતી. આ કાર્યક્રમમાં ગઢડાના કાનાણી સાહેબે બાલઘરમાં ચાલતી પ્રવૃત્તિઓ તેમની સ્કૂલમાં ચાલુ કરવાની ઈચ્છા દાખવી હતી. ડી. વી. મેહતાએ બાલઘરમાં ચાલતી પ્રવૃત્તિઓ રાજકોટની શાળાઓમાં પહોંચાડવાનું વચન આપ્યું હતું. મેક્સિકો નિવાસી અને 29 દેશોના પ્રવાસ કરી ચૂકેલા દર્શનભાઈ પટેલે ખાસ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી, તેમજ નર્મદા બાલઘરના આ કાર્યને એક અભૂતપૂર્વ સિદ્ધિ તરીકે ગણાવી હતી. ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી ભરત મહેતા, ટ્રસ્ટી જયેશભાઈ ઓઝા, જનરલ મેનેજર સાગર રાતપિયાએ આ સ્કીલ દરેક શાળા શિક્ષકો તથા બાળકોને પહોંચે તે માટે 300 થી વધુ શાળાના શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.