મોરબીના યુવાને જન્મદિવસે અંગદાનનો સંકલ્પ કર્યો

- text


મોરબી : મોરબીના રહેવાસી અને સેવાભાવી નવયુવાન વિપુલભાઈ છૈયા આજ પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. આ નિમિત્તે તેઓએ અંગદાનનો સંકલ્પ કરી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી છે. ઉલ્લેખનીય છે કે, અંગદાન થકી અન્ય 6 થી 7 વ્યક્તિના જીવનમાં ઉજાશ થઈ શકે છે. ત્યારે અંગદાનના સંકલ્પ થકી જન્મદિવસની ઉજવણી અન્યો માટે પ્રેરણારૂપ છે. તેમજ અંગદાન એ આજના સમયની માગ પણ છે. ત્યારે વિપુલભાઈ છૈયાને તેમના જન્મદિવસ નિમિત્તે મો. નં. 97274 55297 પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહ્યા છે.

- text

- text