પાંડાતીરથ પ્રા.શાળાના આચાર્યને ભાવભેર અપાઈ વિદાય

- text


હળવદ : પાંડાતીરથ પ્રા.શાળાના આચાર્ય મુકેશભાઈ મારવણિયાની પ્રમાણિક નીતિ નિષ્ઠા અને શ્રેષ્ઠ કાર્યકાળને વધાવતો ભવ્ય વિદાય સન્માન સમારોહ યોજાયો. હતો.

આ કાર્યક્રમનું આયોજન શાળા પરીવાર, સરપંચ ગુલાબભાઇ અસ્વાર, ગ્રામપંચાયત અને સમસ્ત ગામના વડીલો દ્વારા કરાયું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષમાં હળવદ તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ સિંધવ, BRC મિલન ભાઇ પટેલ, કડિયાના પે.શાળાના આચાર્ય ચૌધરી,crc સંજયભાઈ BRP હરદેવસિંહ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઉપસ્થિત સર્વે મહેમાનોએ મુકેશભાઈના કાર્યકાળ ને વધાવતા શુભેચ્છા અર્પી હતી.સાથે સરપંચ ગુલાબભાઇ, ગ્રાંમ પંચાયત તથા વડીલોએ શુભેરછા સાથે ભેટ અર્પી,શાળા પરીવારે એમના શ્રેષ્ઠ કાર્યકાળને વધાવતા ભેટ અને શુભેચ્છા પાઠવી.

દરેક બાળ લાગણી સાથે આંખો માં આંસુ સહ પોતાની લાગણી વ્યતીત કરતું હતું.મુકેશભાઈની વિદાય સાથે શાળાના સિનિયર શિક્ષક કરશનભાઈ ડોડીયાને શાળાના આચાર્ય તરીકેની ધુરા સન્માન સાથે સર્વે સાથે મળીને સોંપી અને આચાર્ય તરીકેના કાર્યકાળને સાંભળતા તેમને પ્રમાણિક ભાવે આ કાર્ય સાંભળવાનો વિશ્વાસ સંપન્ન કર્ય. સમગ્ર વાતાવરણ વિદાયમય બનતા ભાવવિભોર બન્યું હતું. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text