મકનસર 108ની ટીમે 50 વર્ષીય મહિલાને આપ્યું નવજીવન

- text


વાંકાનેર : આજ રોજ તારીખ 26 ઓક્ટોબરના રોજ સવારે 5-22 વાગ્યે મકનસર 108ની ટીમને કોલ મળ્યો હતો કે, વાંકાનેરના એક 50 વર્ષીય મધુબેન જીતેન્દ્રભાઈ નામની મહિલાને તબિયત ખૂબ જ ખરાબ હતી. જેથી 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દર્દીની તપાસ કરી હતી. ત્યારબાદ ડો. અતુલનું માર્ગદર્શન મેળવીને ઈએમટી પ્રવિણભાઈ મેર અને પાયલોટ વિજયભાઈ રાઠવાએ મહિલા દર્દીને ઓક્સિજન અને inj D25% ml. Iv આપી RBS મેઈન્ટેઈન કરીને મહિલા દર્દીને વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડ્યા હતા. આમ 108ની ટીમે મહિલા દર્દીને નવજીવન આપ્યું હતું.

- text