માળીયા મિયાણાના નિરુબેનનગર નજીક ટ્રક હડફેટે રાહદારીનું મૃત્યુ

- text


મોરબી : માળીયા મિયાણા તાલુકાના નિરુબેનનગર ગામના પાટિયા પાસે પગપાળા જઈ રહેલા વસંતભાઈ કાનાભાઈ દેલવાણિયા નામના યુવાનને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા વસંતભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પત્ની પૂજાબેને અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text