મોરબી માર્કેટિંગ યાર્ડમાં 29 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી અનાજ વિભાગમાં રજા જાહેર

- text


મોરબી : દિવાળીના તહેવાર નિમિત્તે આગામી તારીખ 29 ઓક્ટોબર થી 5 નવેમ્બર સુધી મોરબી માર્કેટિંગ યાર્ડમાં અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવી છે. જેથી આ રજાના દિવસોમાં હરરાજીનું તમામ કામકાજ બંધ રહેશે. જેની સૌએ નોંધ લેવા જણાવાયું છે.

- text

28 ઓક્ટોબર ને મંગળવારે સારે 10 વાગ્યા સુધી જ જણસીની ઉતરાઈ કરવા દેવામાં આવશે. 29 ઓક્ટોબર ને મંગળવારના રોજ પડતર માલની હરરાજી લેવામાં આવશે. 29 ઓક્ટોબર થી 5 નવેમ્બર સુધી કોઈપણ જણસીની ઉતરાઈ કરવા દેવામાં નહીં આવે. 5 નવેમ્બર ને મંગળવારના રોજ સાંજે 4 વાગ્યા પછી જણસીની ઉતરાઈ ચાલુ કરવામાં આવશે. 6 નવેમ્બર ને બુધવારે લાભ પાંચમથી હરરાજીનું કામકાજ રાબેતા મુજબ ચાલુ થશે તેમ યાદીમાં જણાવાયું છે.

- text