UPSCની તૈયારી માટે મોરબી જિલ્લા પંચાયત દ્વારા શિષ્યવૃતિ આપવામાં આવશે

- text


મોરબી જિલ્લા વિકાસ આરોગ્ય અધિકારી દ્વારા સૂચના જાહેર કરી

મોરબી : મોરબી જિલ્લા વિકાસ આરોગ્ય અધિકારી દ્વારા સૂચના જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી જિલ્લાના વતની હોય અને ધોરણ-12માં 70 % થી વધુ માર્ક્સ મેળવ્યા હોય અને હાલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે UPSCની તૈયારી માટે મોરબી જિલ્લા પંચાયત દ્વારા શિષ્યવૃતિ આપવાનું નક્કી કરવામાં કરવામાં આવી છે.

- text

ત્યારે UPSCની પરીક્ષા આપવા ઇચ્છુક હોય તેવા વિદ્યાર્થીઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે. પસંદ થયેલા વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષ માટે રૂ.15,000/- અને ત્યારબાદ જરૂરી લાયકાતના ધોરણો મેળવ્યા બાદ બીજા અને ત્રીજા વર્ષ માટે પણ શિષ્યવૃતિ આપવાનું વિચારણા હેઠળ છે. આ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓએ આ પ્રેસ નોટ પ્રસિધ્ધ થયાની તારીખથી 15 દિવસની અંદર રૂમ નં.146,શિક્ષણ શાખા,પ્રથમ માળ,જિલ્લા પંચાયત કચેરી,સો-ઓરડીની સામે, શોભેશ્વર રોડ,મોરબીમાં પોતાની અરજી જમા કરાવવાની રહેશે. અરજીનો નમુનો જિલ્લા પંચાયત કચેરી, મોરબીની વેબસાઈટ (www.morbidp.gujarat.gov.in) પર મુકવામાં આવ્યો છે.

- text