- text
બહારગામ જવાના હોય તેવા લોકોને પાડોશીને તથા પોલીસ સ્ટેશનને જાણ કરવા અપીલ
મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા આજે લાલપર ગામે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ વેળાએ પોલીસની ટીમે લોકોને જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન પણ આપ્યું હતું.
દિવાળીના તહેવારો આવી રહ્યા છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અનુસંધાને મોરબી તાલુકા પોલીસ દ્વારા લાલપર ગામે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ વેળાએ પોલીસે અપીલ પણ કરી હતી કે જે લોકો બહારગામ જવાના હોય, ઘર બંધ રહેવાનું હોય તેવા લોકો પાડોશીને તથા પોલીસ સ્ટેશનને જાણ કરે. તેમજ કઈ પણ જરૂર પડે ત્યારે પોલીસનો સંપર્ક કરે.
- text
- text