બગથળાના નકલંકધામમાં 2 નવેમ્બરે અન્નકૂટ અને સંતવાણીનું આયોજન

- text


મોરબી : બગથળા ગામે આવેલા નકલંકધામ ખાતે આગામી તારીખ 2 નવેમ્બરના રોજ નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. કારતક સુદ-1 એટલે કે 2 નવેમ્બરે સવારે 9 વાગ્યે અન્નકૂટ દર્શન તથા મહાઆરતી યોજાશે. ત્યારબાદ 9-30 કલાકે બગથળાની પટેલ સમાજ વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

રાત્રે 10 વાગ્યે સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોક ભજનીક નારાયણ ઠાકર, હર્ષદ પટેલ અને લોકસાહિત્યકાર માનસૂર ગઢવી ઉપસ્થિત રહેશે. તો આ અન્નકૂટ અને સંતવાણી કાર્યક્રમમાં સર્વે ભાવિક ભક્તો તથા સેવકગણને પધારવા આમંત્રણ પાઠવાયું છે.

- text