રવાપર રોડ પર એવન્યુ પાર્ક પાસેનું ડાયવર્ઝન તાત્કાલિક રીપેરીંગ કરાવવા આપની માંગ

- text


તાત્કાલીક ધોરણે કામગીરી ન થઈ તો મોરબી તંત્રને સમક્ષ ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચિમકી

મોરબી : મોરબીમાં રવાપર રોડ પર આવેલા રેવન્યુ પાર્ક પાસે તાત્કાલીક ધોરણે ડાયવર્ઝન રિપેરિંગ કરાવવા આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, મોરબી જિલ્લાનો પોસ એરીયા ગણાતો રવાપર રોડ પર ધણાં સમયથી નાલુ નબડુ હોવાથી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. અને તે નાલુ બનાવવાનું કામ ચાલું કરવામાં આવ્યું છે. પણ તે નાલા પાસે કામ ચલાવ ડાયવર્ઝન બનાવવામાં આવ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ દ્વારા મોરબી તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

- text

આ રજુઆતમાં જણાવવામાં આવ્યું કે, તાજેત્તરમાં મોરબીમાં વરસાદ થવાથી ડાયવર્ઝનમાં પાણી ભરાઈ ગયા છે, કાદવ કીચડથી ભરાઈ ગયું છે તથા ચીકાશ વાળી માટી હોવાથી વહાન ચાલકો સ્લીપ થઇ જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે એવી ખરાબ હાલત થઈ ગઈ છે. તો આ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા તે કામચલાઉ ડાયવર્ઝન ને જેમ બને તેમ જલ્દી સમારકામ કરવામાં આવે અને કોઈ વહાન ચાલકોને અકસ્માત ન સર્જાય તે માટે વ્યવસ્થિત રીતે સમારકામ થાય તેવી માંગ મોરબી તંત્રને કરવામાં આવી છે. તેમજ તાત્કાલિક ધોરણે કામગીરી ન થાય તો ઉગ્ર રજૂઆત સાથે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

- text