મોરબીમાં પતિ- પત્ની વચ્ચે બોલાચાલી બાદ પતિનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબીના સો ઓરડી વિસ્તારમાં બનેલો બનાવ

મોરબી : મોરબી શહેરના સો ઓરડી વિસ્તારમાં રહેતા દંપતી વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયા બાદ પતિને મનોમન લાગી આવતા પોતાના ઘેર પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ સુરેન્દ્રનગરના નુરેમિલાદ સોસાયટીમાં રહેતા અને હાલમાં મોરબીના સો ઓરડી વિસ્તારમાં ભુવનેશ્વરી પાર્કમાં ભાડાના મકાનમાં રહેતા ફિરોજભાઈ ઈસાભાઈ બાબરીયી ઉ.34 નામના યુવાનને તેમના પત્ની સાથે બોલાચાલી થયા બાદ મનોમન લાગી આવતા પોતાના ઘેર પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ઘટના અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text