- text
તળાવમાં ન્હાવા જતા જસાપર ગામે યુવાન અને મોટાભેલા ગામે સગીરનું મૃત્યુ
મોરબી : માળીયા મિયાણા તાલુકાના જસાપર અને મોટાભેલા ગામે અલગ અલગ બે બનાવમાં તળાવમાં ન્હાવા જતા એક યુવાન અને એક સગીરનું મૃત્યુ નિપજતા દિવાળીના તહેવાર સમયે જ અરેરાટી વ્યાપી ગઈ હતી.
પ્રથમ ઘટનામાં માળીયા મિયાણા તાલુકાના મોટીબરાર જસાપર ગામના તળાવમાં ડૂબી જવાથી મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના કોલદેગામના વતની વિષ્ણુ રવીન્દ્રભાઈ ભીલ ઉ.18નું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા મિયાણા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
જ્યારે બીજા બનાવમાં માળીયા મિયાણા તાલુકાના મોટાભેલા ગામે રહેતા પીયૂષભાઈ નાથાભાઇ ખાંભલીયા ઉ.17 નામનો સગીર તળાવમાં ન્હાવા જતા પાણીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text