મોરબીના બાણગંગા મંદિરે 2 નવેમ્બરે અન્નકોટ ઉત્સવનું આયોજન

- text


મોરબી : બાણગંગા (ધૂળકોટ)ના બાણગંગા મંદિર ખાતે તારીખ 2-11-2024 ને શનિવારના રોજ નૂતન વર્ષ નિમિત્તે અન્નકોટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 8 કલાકે ધૂન, બપોરે 12 કલાકે અન્નકોટ મહાઆરતી ત્યારબાદ અન્નકોટ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ અન્નકોટ દર્શનનો લાભ લેવા માટે બાણગંગા મંદિરના સાગરગીરી શંકરગીરી બાપુ દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text