- text
મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડ કવાટર્સમાં રહેતા ચિંતનભાઈ અનિલ કુમાર પંડ્યા પોતાના ઘેર સુતા બાદ ઘરના સભ્યોએ ઉઠાળતા તેઓ કઈ બોલતા ચાલતા ન હોય અને ઉઠતા ન હોય મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text