મોરબીના માધાપરમાં રહેણાક મકાન પર વીજળી પડી

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે તારીખ 20 ઓક્ટોબરના રોજ સાંજના સમયે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદની સાથે વીજળી પડવાનો બનાવ પણ સામે આવ્યો છે. મોરબીના માધાપરમાં રામજી મંદિર ચોકમાં આવેલા કરસનભાઈ હડીયલના ઘરની છત પર વીજળી ત્રાટકી હતી. ઘરની છત પરની દિવાલ પર વીજળી પડતાં દિવાલ તૂટી ગઈ હતી અને દિવાલમાં તિરાડો પડી ગઈ હતી. ઘર પર વીજલી પડતાં ઘરમાં રહેલું ટીવી, પંખા તેમજ રાઉટર જેવા ઉપકરણો પણ બળી ગયા છે.

- text

- text