વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળામાં બાલા પ્રોજેક્ટનું લોકાર્પણ

- text


BRC મયુરસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કરાયું

વાંકાનેર : આજ રોજ જામસર CRCની PM શ્રી વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું વાંકાનેર BRC મયુરસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યું હતું.

જેમાં જામસર CRC નરેન્દ્રસિંહ ચૌહાણ મેસારિયા, CRC ગઢિયા દિવેશભાઈ તેમજ વી.ડી. જાંબુડીયા, આચાર્ય ખોખલ ચેતનાબેન ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બાલા પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું અને શાળાના આચાર્ય ધામેચા પંકજભાઈએ શાળા પ્રત્યે ખૂબ રસ દાખવી શાળાના વાતાવરણને હરિયાળું બનાવ્યું છે. સમગ્ર આયોજનમાં શાળાના આચાર્ય અને શિક્ષકોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- text

- text