મોરબીના જલારામ મંદિરે મહાપ્રસાદ યોજી ચગ પરિવારે માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

- text


મોરબી : મોરબી લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ વાલજીભાઈ ચગના પત્ની સ્વ.દયાબેન વાલજીભાઈ ચગની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિત્તે તેમના પુત્રી માલતીબેન ચંડીભમર તથા પુત્રો વિનુભાઈ ચગ, પ્રતાપભાઈ ચગ, ડો.અશ્વિનભાઈ ચગ, ભાવેશભાઈ ચગ સહિતના પરિવારજનો દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી માતાને સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ તકે સદગતના પરિવારજનોએ તેમના વરદ્ હસ્તે મહાપ્રસાદ વિતરણ કર્યો હતો. શ્રી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, પપ્પુભાઈ ચંડીભમર, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા, અનિલભાઈ ગોવાણી, જયંતભાઈ રાઘુરા, અમિતભાઈ પોપટ, કિશોરભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, હીતેશભાઈ જાની, અશોકભાઈ જોશી, મનિષભાઈ પટેલ, દીનેશભાઈ સોલંકી સહીતનાઓએ સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

- text

- text