વરસાદની આગાહીને પગલે મોરબી માર્કેટિંગ યાર્ડમાં જગ્યા હશે ત્યાં સુધી જણસીની ઉતરાઈ થશે

- text


મોરબી : હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ મોરબીના ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા ખેડૂતો માટે અગત્યની સૂચના આપવામાં આવી છે.

- text

આ જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે, હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી જ્યાં સુધી વરસાદી વાતાવરણ હોય ત્યાં સુધી કપાસ તથા મગફળીની આવક શેડ ઉપર જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઇ કરવા દેવામાં આવશે. ત્યારબાદ ઉભા વાહન રાખી દેવામાં આવશે. જેની લાગતા – વળગતાએ નોંધ લેવી.

- text