માથકમાં તસ્કરોએ ત્રણ મકાનોને નિશાન બનાવ્યા

- text


એકમાંથી સોના-ચાંદીના દાગીના લઈ ગયા : બે માં ફોગટ ફેરો

હળવદ : હળવદ તાલુકાના માથક ગામે ગતરાત્રિના તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને જુદા જુદા ત્રણ રહેણાંક મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા.જેમાં એક બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના લઈ ગયા હોવાનું સામે આવ્યું છે જ્યારે અન્ય બે રહેણાંક મકાનો માંથી કાંઈ ન ગયું હોવાનું મકાન માલિક જણાવી રહ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના માથક ગામના જયંતીભાઈ ખોડાભાઈ જેતપરા પોતાના પરિવાર સાથે વાડીએ હોય અને ગામમાં આવેલ ઘર બંધ હોય જેમાં ગત રાત્રિના કોઈ અજાણ્યા શખ્સો પ્રવેશ્યા હતા અને ઘરમાંથી બે સોનાના ચેઈન,બુટ્ટી તેમજ ચાંદીની ઝાંઝરી અને સાંકડાની ચોરી કરી લઇ ગયાં હોવાનું મકાન માલિક જણાવી રહ્યા છે.

જ્યારે ગામમાં આવેલ અન્ય બે મકાનોને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા જેમાં દિગુભા ઝાલા અને વિનુભાઈ સોમૈયાના મકાનમાં પણ તસ્કરો ત્રાટક્યા હતા જોકે ત્યાંથી કાંઈ ન લઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. બીજી તરફ બનાવના પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તસ્કરોનું પગેરું દબાવવા તપાસ હાથ ધરી છે.

- text

- text