મોરબીમાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને રાહતદરે રોપા અપાશે

- text


મોરબી : રાજ્ય સરકારના બાગાયત ખાતા હસ્તકની મોરબીની વાંકાનેર નર્સરી ખાતે ચાલુ વર્ષ ૨૦૨૪- ૨૫માં ઘર આંગણે ખેતી કરવા તથા બાગાયતી ખેતી કરવા ઇચ્છુક ખેડુતોને ફળપાકના રોપાઓ જેવા કે રાયણ- રૂ.૧૫/- જાંબુ – રૂ. ૧૫/-, ફાલસા -રૂ. ૨૦/- દેશી બોર – રૂ.૧૫/-, કરમદા – રૂ.૧૫/-, અંજીર કટકા કલમ -રૂ.૩૦/- સેતુર કટકા કલમ -રૂ.૨૦/- વગેરેનું હાલમાં સસ્તા દરે વેચાણ ચાલુ છે.

- text

આ ઉપરાંત બાગાયતી ખેતીને લગત યાંત્રિક તથા યોજનાકીય માર્ગદર્શન પુરું પાડવામાં આવશે તેથી આમાં રસ ધરાવતા ખેડુતોએ બાગાયત અધિકારીશ્રીની કચેરી ફળ રોપા ઉછેર કેન્દ્ર જડેશ્વર રોડ, વાંકાનેર- મોરબી કચેરીએથી જાહેર રજાના દિવસો સિવાય ફળ પાકના રોપાઓ મળી રહેશે. આ માટે હિતેશ રોજાસરા- મોબાઈલ નંબર- ૯૮૨૪૨૪૫૬૩૫ પર સંપર્ક સાધી શકાશે તેમ બાગાયત અધિકારી ફળ રોપા ઉછેર કેન્દ્ર, વાંકાનેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text